Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ડૉ.એન.વી કલસરિયાની તાલુકા હેલ્થ ઓફિસર તરીકે રેગ્યુલર નિમણૂક થતા રાજુલા તાલુકાના લોકોમાં આનંદની લાગણી

રાજુલા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તા.૨ના રોજ ૧૮૮ તબીબી અધિકારી વર્ગ -૨ ની જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી જેમા છેલ્લા ૦૯ વર્ષથી ડુંગર મેડિકલ ઓફિસર તરીકે અને છેલ્લા ૦૪ વર્ષથી ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે નિષ્ઠાથી ફરજ બજાવતા ખેડૂતપુત્ર ડૉ.એન.વી.કલસરિયાને કોરોના કાળમા સારી કામગીરી કરવા બદલ રાજુલા ખાતે રેગ્યુલર નિમણૂક તરીકે બઢતી આપવામા આવતા રાજુલા તાલુકાના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગયેલ  છે

 ડૉ.કલસરિયાના જણાવ્યા અનુસાર આગામી સમય દરમિયાન રાજુલા તાલુકાના લોકોની આરોગ્ય સુખાકારીમા વધારો થાય,લોકોને આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે અને આરોગ્યની દૃષ્ટિએ રાજુલા તાલુકાને અગ્રેસર કરવા માટે લોકોના સાથ-સહકાર સાથે કામગીરી કરવા જણાવેલ છે

(4:27 pm IST)