Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ભાવનગરમાં સંત શ્રીસેનમહારાજની જન્‍મજયંતીની ભવ્‍ય ઉજવણી થશે : આજે રાત્રે સંતવાણી -ડાયરો : કાલે ભવ્‍ય શોભાયાત્રા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર,તા.૨૬ :  સંત શ્રી સેન મહારાજની ૭૨૧ જન્‍મ જયંતિ ની ભાવનગર સમસ્‍ત વાળંદ સમાજ દ્વારા ભવ્‍ય રીતે ઉજવાશે .તા. ૨૭- ૫ ને  શુક્રવાર રોજ સંત શ્રી સેન મહારાજ ચોક ભરતનગર ભાવનગર ખાતે ધામધૂમ પૂર્વક યોજવામાં આવશે .તા. ૨૬-  ગુરૂવારના રોજ રાત્રિના ૯:૦૦ ભવ્‍ય સંતવાણી ડાયરો યોજાશે. જેમાં જાણીતા કલાકાર અનિલભાઈ વંકાણી, બીપીનભાઈ સઠીયા,ધરમભાઈ વંકાણી ,વર્ષાબેન બગથરીયા વિગેરે રમઝટ બોલાવશે.

જ્‍યારે તા. ૨૭ -૫ના શુક્રવાર રોજ ભવ્‍ય શોભાયાત્રા સાંજે ૪.૩૦ કલાકે  શ્રી ગોહિલવાડ વાળંદ જ્ઞાતિ ની વાડી કાળાનાળા,ભાવનગર ખાતે શરૂ થશે અને વાજતે ગાજતે સાંજે ૬:૩૦ કલાકે સંત શ્રી સેન મહારાજ ચોક ભરતનગર ભાવનગર ખાતે પહોંચશે . જ્‍યાં સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

(12:00 pm IST)