Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધોરાજીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

 ધોરાજી : ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર માસના ચોથા ગુરુવારના આગળના દિવસે તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજવાની સુચના અન્‍વયે ધોરાજી તાલુકાના સ્‍વાગત કાર્યક્રમનું આયોજન મહેસુલ સેવા સદન, ધોરાજી ખાતે કરવામાં આવેલ. જેમાં કુલ ૨૪ પ્રશ્‍નો રજુ થયેલ હતા. જે પૈકી ૧૩ પ્રશ્‍નો તાલુકા સ્‍વાગત કાર્યક્રમના તથા ૯ પ્રશ્‍નો ગ્રામ સ્‍વાગત કાર્યક્રમના હતા. આ તમામ પ્રશ્‍નો પ્રત્‍વે અરજદારોને સાંભળીને સ્‍થળ પર જ નિકાલ કરવામાં આવેલ. આ કાર્યક્રમ મામલતદાર  ધોરાજીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર, પોલીસ ઇન્‍સપેક્‍ટર તથા સંકલન સમિતિના તમામ અધિકારીઓ હાજર રહેલ હતા.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

(10:44 am IST)