Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલ માર્કેટ યાર્ડ સંકુલના રૂ.૩ કરોડના ખર્ચે કરાયેલા નવીનીકરણનું લોકાર્પણ : અગ્રીમ ગણાતા યાર્ડની સુવિધાઓમાં વધારો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કિશાનભવન ભોજનાલય, ગેસ્ટહાઉસ, ઓફિસ સંકુલના નવીનીકરણ સાથે આરોગ્ય કેન્દ્ર ની સુવીધાનુ લોકાર્પણ ઉપરાંત યાર્ડના વિકાસ માટે ખરીદાયેલી ૩૮ વિઘા જમીનમાં નવા આધુનિક શેડનું ખાતમુહૂર્ત તા .૨૬ શુક્રવાર ના રાજ્ય ના કૃષીમંત્રી ના હસ્તે થનાર છે. ૧૯૫૬માં સ્થપાયેલા માર્કેટ યાર્ડે ઉતરોતર પ્રગતિ કરી ગુજરાતભર મા અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

હાલ રૂ. ત્રણ કરોડ ના ખર્ચે કિશાનભવન ભોજનાલય, ગેસ્ટહાઉસ તથા ઓફિસ સંકુલ નુ આધુનિક નવીનીકરણ કરાયુ છે.

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ કે યાર્ડ નુ ભોજનાલય સંપુણઁ વાતાનુકુલ બનાવાયુ છે.જેમા ખેડુતોને રૂ.૩૫ મા ભરપેટ સ્વાદિસ્ટ ભોજન અપાઇ રહ્યુ છે.યાર્ડના ગેસ્ટહાઉસને આધુનિક ઓપ આપી ૩૨ રુમ સાથે સંપુર્ણ એરકંડીશન બનાવાયુ છે.અહી ખેડુતોને વિનામુલ્યે આરામ માટે રુમ અપાય છે.તથા બહાર થી આવતા વેપારીઓ ને માત્ર ટોકન ભાવે રુમ અપાય છે.

પોતાનો માલ લઈ આવતા ખેડુતો ને અચાનક કોઈ બીમારી ઉદ્દભવે તો તુરંત આરોગ્યસેવા મળી રહે તેવા આરોગ્ય કેન્દ્ર નુ નિર્માણ કરાયુ છે.જે દરેક પ્રકારની આરોગ્ય સુવિધાઓથી સજ્જ છે. ઉપરાંત મુખ્ય કાર્યાલયને પણ આધુનિક ઓપ આપી તમામ કચેરીઓ સુવિધાઓથી સજ્જ કરાઇ છે.ગોંડલ આજે ગુજરાતભરમાં અગ્રીમ સ્થાન ધરાવતુ હોય અને બહાર ના રાજ્યો મા પણ ગોંડલ યાર્ડની નોંધ લેવાતી હોય ખાસ કરીને બહારથી આવતા વેપારીઓ કે ખેડુતોને માહીતી સાથે તમામ સુવિધાઓ મળી રહે તેવી ઉપલબ્ધી કરાઇ છે.

તેમણે જણાવ્યુ કે યાર્ડ ના નવા આધુનિક શેડ સાથે ઉતરોતર પ્રગતિ માટે ૩૮ વિઘા જમીન સંપાદિત કરાઇ છે.આગામી સમયમાં કમ્પાઉન્ડ વોલ સહિત આધુનિક શેડનુ નિર્માણ થશે.

શુક્રવાર તા.૨૬ સાંજે ચાર કલાકે યાર્ડના કીશાનભવન હોલ ખાતે રાજ્ય ના જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં  કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે આ કાર્યક્રમ મા અતિથિપદે ગુ.રાજ્ય સ્ટેટ કો.ઓ.બેંક ના ચેરમેન અજયભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા,સાંસદ રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારીયા,ધારાસભ્ય ગીતાબા જાડેજા,જયેશભાઇ રાદડીયા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, મગનભાઈ ઘોણીયા, કુરજીભાઈ ભાલાળા, ભાર્ગવભાઇ અંદિપરા, ચંદુભાઇ દુધાત્રા, ભગવાનજીભાઈ રામાણી સહિત ઉપસ્થિત રહેનાર છે.

કાર્યક્રમને સફળ બનાવવા યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(12:25 pm IST)