Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ખંભાળીયાના ચાર બારા ગામે પોલીસ વડાનો લોક દરબાર યોજાયો

ખંભાળીયા તા. ર૬ :.. ચાર બારા ગામે ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે ની અધ્‍યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.

ગ્રામજનોને કાયદો - વ્‍યવસ્‍થા અંગે કંઇ પ્રશ્ન હોય તો જણાવવા કહીને દારૂ- જૂગાર તથા વ્‍યાજખોરો સામે કડક પગલા લેવાની ખાતરી આપી જાણકારી તથા માહિતી તથા ફરીયાદ માટે લોકોને આગળ આવવા જણાવીને વ્‍યાજખોર, જમીન માફીયા, ગુંડા તથા લુખ્‍ખા તત્‍વો સામે કડક પગલા લેવાની ચીમકી પણ આપી હતી.

સલાયાના ઇન્‍ચાર્જ પી. આઇ. સીંગરખીયા, પોલીસ સ્‍ટાફના નગાભાઇ ગઢવી, દેવુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, વિરૂભા જાડેજા સરપંચશ્રી ભીખુભા જાડેજા, ભીખુભા ઉમેદસંગ સહિતના આગેવાનો સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતાં. તથા જિ. પો. વડા તથા અધિકારીઓનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું.

(1:47 pm IST)