Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સદગુરુદેવ પૂ. પારસમુની મ.સા.ની પાળીયાદ પાંજરાપોળ અને બોટાદ સંઘમાં પધરામણી

પૂ. પારસમુની મ.સા.રવિવારે અજરામરજી સ્‍વામીના જન્‍મદિન નિમિત્તે લીંબડી સંઘમાં પધારશે

રાજકોટ તા.૨૬ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂ. શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍ય સદગુરુદેવ પૂજ્‍ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ તા.૨૫ ના રોજ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્‍ટ પાળીયાદ પધારેલ.

બોટાદ સંપ્રદાયના પંડિત રત્‍ન પૂજ્‍ય શ્રી નવીનચંદ્રજી મહારાજ સાહેબની પાવન પ્રેરણા અને કળપાથી પ્રારંભ થયેલ પાંજરાપોળમાં ૩૦૦૦ થી પણ વધારે પશુધનની અદભુત સેવા કરવામાં આવી રહી છે.

પાંજરાપોળ ટ્રસ્‍ટનાં સેવાભાવી અને જેમનું જીવન જ સાધુ સમાન સરલ અને નિર્દોષ છે એવા નાગરદાસ ગામી, સર્વ સેવાભાવી કાર્યકરોની ટીમ કનુભાઈ ધાંધલ, ભાવેશભાઈ બારભાયા, નાગજીભાઈ ચાંદપરા, પ્રવીણભાઈ દરજી, જયંતીભાઈ દરજી, વિશાલભાઈ પંડ્‍યા, રાહુલભાઈ ગોહિલ, અલ્‍પેશભાઈ શુક્‍લ, નરેશભાઈ સાકરીયા, હર્ષદભાઈ રાઠોડ , અરવિંદભાઈ કટેસિયા , દિપ્તેશભાઈ રાવલ આદિ ભાઈઓ બહેનોની સેવા અજોડ છે.

એકવાર પણ પાળીયાદ પાંજરાપોળની મુલાકાત લઈ અને તેમની યોગ્‍ય સહાયભૂત થવા સર્વને પૂજ્‍ય ગુરુદેવે અનુરોધ કરેલ.

પાળીયાદ પાંજરાપોળથી વિહાર કરીને સાંજે બોટાદ સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્‍ય શ્રી શૈલેષમુનિ મહારાજ સાહેબ ના સાનિધ્‍યમાં બોટાદ શ્રી સંઘમાં પધારેલ.તા. ૨૮ ના અજરામરજી સ્‍વામીના જન્‍મદિન નિમિત્તે લીંબડી શ્રી સંઘમાં પધારશે.

(1:26 pm IST)