Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ-અમરેલી સંચાલિત શ્રી એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલયનું ધો. ૧૦નું ઝળહળતુ પરિણામ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૬ :  માર્ચ-ર૦ર૩ ની ધો. ૧૦ ની પરીક્ષામાં એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલયનું ધો. ૧૦નું પરિણામ ૯૦.૬ર ટકા આવેલ છે. જયારે બોર્ડનું પરિણામ ૬૪.૬ર અને અમરેલી કેન્‍દ્રનું પરિણામ ૬૪.૩૦ ટકા પરિણામ આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્‍થાની આ સફળતાને સંસ્‍થાના પ્રમુખ દિલીપભાઇ સંઘાણી તેમજ હોદ્દેદારોએ આવકારી શાળાના આચાર્યાશ્રી અરૂણાબેન માલાણી, સમગ્ર સ્‍ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. તેમ અરૂણાબેન માલાણીની યાદીમાં જણાવેલ છે.

(1:37 pm IST)