Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાવનગરના ડમીકાંડ કૌભાંડમાં વધુ બે શખ્સો ઝડપાયા

કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ નો આંકડો વધીને 52 એ પહોંચ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગરના ડમીકાંડ કૌભાંડમાં પોલીસે આજે વધુ બે શખ્સોને ઝડપી લીધા છે.
ભાવનગર પોલીસે  કૌભાંડમાં ભાવનગર જિલ્લાના તળાજાના દિહોર ગામે રહેતા મનસુખભાઇ વાલજીભાઇ જાની ઉ.વ.૩ર અને તળાજાના પીપરલા ગામે રહેતા કિરણભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.૩૩ બંને આરોપીઓને ઝડપી લીધા છે.
ઝડપાયેલ  આરોપી મનસુખભાઈ જાની ની સને-૨૦૨૨માં રાજકોટ ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા ડમી ઉમેદવાર તરીકે કિરણભાઈ દિનેશભાઇ બારૈયાએ આપેલ હતી.
ડમી કાંડ માં આજે વધુ બે ની ધરપકડ થતા આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ નો આંકડો વધીને 52 એ પહોંચ્યો છે.

(7:07 pm IST)