Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાપરના રબારી પરિવારે 'દેવે દીધેલ' દીકરાને દેવ સ્થાનને અર્પણ કર્યો ૧૬ વર્ષે પારણું બંધાયું: ૬૫૦ વર્ષ જૂની પરંપરા નિભાવી

 ભુજઃ તા.૨૬,  રાપરના કિડિયાનગર ગામના જોગાભાઈ સોમાભાઈ રબારીએ ગુરુ પૂર્ણિમા ના દિવસે પોતાના દીકરા ને દેવ સ્થાનને અર્પણ કર્યો હતો. સુરેન્દ્રનગરના દુધઈ ગામે વડવાળા દેવના મંદિરે મહંત બાલકદાસજી બાપુના ચરણોમાં પોતાના પુત્રને અર્પણ કર્યો હતો. આ અંગે પોતાની ધાર્મિક લાગણી શ્રદ્ધાભાવ પૂર્ણ શબ્દોમાં વ્યકત કરતાં જોગાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, તેમને શેર માટીની ખોટ હતી, અનેક દવા ઉપચાર કર્યા બાદ વડવાળા દેવની માનતા રાખતાં ૧૬ વર્ષે બે પુત્રો જન્મ્યા. જે પૈકી નાના પુત્રને દેવ ચરણોમાં અર્પણ કર્યો હતો. મંદિરને પુત્ર અર્પણ કરવાની રબારી સમાજની ૬૫૦ વર્ષની પરંપરા આજેય જળવાઈ રહી છે. મંદિર મધ્યે બાળકને રસ રુચિ પ્રમાણે શિક્ષણ અપાય છે. 

(12:54 pm IST)