Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીના મહેન્દ્રપરામાં યુવાનનો કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત

મોરબીના આસ્વાદ પાનની બાજુમાં મહેન્દ્રપરા વિસ્તારમાં યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો તુષારભાઈ કરશનભાઈ સવઘર (ઉ.૧૮) એ આસ્વાદ પાનની બાજુમાં મહેન્દ્રપરામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે તો આ મામલે એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:49 am IST)