Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રાજકોટ પંથકના લેઉવા પટેલ પ્રૌઢની ક્રૂર હત્યાનો ભેદ ઉકેલાયો: પ નરાધમો પકડાયા

(વિજય વસાણી, આટકોટ દ્વારા) રાજકોટ: નજીક આવેલા આટકોટ ગામની વાડીમા જ રહેતા લેઉવા પટેલ લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયાની લૂંટના ઈરાદે હત્યા કરવામા આવી હતી. તે હત્યામાં મધ્ય પ્રદેશના પાંચ આરોપીની આટકોટ પોલીસ અને રૂરલ  પોલીસે અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે વધુ વિગતો રૂરલ એસ.પી. શ્રી બલરામ મીણા પ્રેસ કોન્ફરન્સમા જાહેર કરશે તેમ જાણવા મળે છે.

 

(1:36 pm IST)