Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે યુવકની હત્‍યા

આરોપી ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ સ્‍વીકારવા ઇન્‍કાર : સરપંચની ચૂંટણી સમયથી ડખ્‍ખો ચાલતો હતો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૬ : ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે વધુ એક હત્‍યાનો બનાવ બન્‍યો છે યુવકની ત્રિક્ષ્ણ હથિયારનાᅠᅠઘા જીકી અને હત્‍યા કરી નાખવામાં આવી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે દેવચરાડી ગામે રાત્રિ દરમિયાન જગદીશભાઈ પરમાર નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો છે અને જીવલેણ હુમલા દરમિયાન જગદીશભાઈ પરમારને હથિયારના ઘા જીકી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યા છે જેને લઇને ચાકચાર માચી જવા પામ્‍યો છે પરિવારમાં પણ શોકની લાગણી વ્‍યાપી જવા પામી છે.

ગત રાત્રી દરમિયાન ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે સામાન્‍ય બોલાચાલી બાદ હત્‍યા યુવકની કરવામાં આવી છે જેને લઈને ચકચાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે હાલની પરિસ્‍થિતિ મુજબ દેવચરાડી ગામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્‍યું છે અને યુવકની હત્‍યા બાદ દેવચરાડી ગામમાં પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવી દેવામાં આવ્‍યો છે જેને લઈને હાલની પરિસ્‍થિતિમાં શાંતિ જળવાઈ દેવચરાડી ગામમાં તેઓ પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવ્‍યો છે સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ એસસોજી પોલીસ તથા સ્‍થાનિક પોલીસ પણ ઘટના સ્‍થળે દોડી ગઈ છે.

ત્‍યારે યુવકની હત્‍યાના પગલે ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્‍યાં ડોક્‍ટરે ટીમ દ્વારા યુવકની ડેડબોડીનું પીએમ કરવામાં આવ્‍યું છે પરંતુ હાલની પરિસ્‍થિતિમાં લાસ ન સ્‍વીકારવાનો ઇનકાર પરિવારજનો દ્વારા કરી દેવામાં આવ્‍યો છે તેને લઈને હાલની પરિસ્‍થિતિમાં ધ્રાંગધ્રા પંથકમાં સંપૂર્ણપણે ચકચાર મચી જવા પામ્‍યો છે ત્‍યારે ત્‍યાં સુધી આરોપી નહીં ઝડપાય ત્‍યાં સુધી ડેડબોડી નહીં સ્‍વીકારવામાં આવે તેવી માંગણી પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવ્‍યું છે અને હાલની પરિસ્‍થિતિમાં ઘટનાને ૧૮ કલાક બાદ પણ લાશનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો નથી.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા ની પરિસ્‍થિતિ સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે તેવા સંજોગોમાં ગ્રામ પંચાયત એટલે કે સરપંચની ચૂંટણી દરમિયાન થી બે સમાજ વચ્‍ચે માથાકૂટ થતી હતી ત્‍યારે અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવાર સામાન્‍ય સીટ ઉપરથી વિજેતા બની હતી અને સરપંચ બનવાની માથાકૂટ તે વખતથી ચાલી આવતી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે ત્‍યારે સરપંચની ચૂંટણી સમયથી બે સમાજ વચ્‍ચે બોલાચાલી થતી માથાકૂટ થતી અને આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થતી હતી પરંતુ આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું ચર્ચા રહ્યું છે જેનું પરિણામ યુવકનું જીવ લેવાઈ ગયો છે અને પરિણામ મોતમાં ફેરવાયું છે.

(12:04 pm IST)