Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વાંકાનેરના અમીતભાઇ કોટેચાની હત્‍યાનો મુખ્‍ય સૂત્રધાર સરફરાઝ પોલીસના સકંજામાં

૧પ દિ'થી ફરાર હતોઃ વાંકાનેર સીપીઆઇ બી.પી. સોનારાની ટીમે દબોચી લીધો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬: વાંકાનેરના લોહાણા યુવાનની હત્‍યા બાદ ૧પ દિ'થી ફરાર મુખ્‍ય સુત્રધારને વાંકાનેર પોલીસની ટીમે દબોચી લીધો છે.

લોહાણા યુવાન અમીતભાઇ અશ્‍વિનભાઇ કોટેચાને છરી-ગુપ્‍તીના તેના નિવાસસ્‍થાન નજીક અમરનાથ સોસાયટીના છેડા પર કે જયાં રેંકડી-કેબીનોનો ભારે ટ્રાફિક રહે છે તે ભીડનો લાભ લઇ આરોપીએ હત્‍યાને અંજાર આપી આરોપીઓ કારમાં જ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આ હત્‍યાના બનાવમાં બે આરોપીઓ તો પોલીસે પકડી પાડયા હતા પણ મુખ્‍ય સુત્રધાર સરફરાઝ હુશેન મકવાણા ફરાર હોઇ, સુત્રો પોલીસ અધિકારી પોલીસ ઇ. બી. પી. સોનારાએ આરોપીને સકંજામાં લેવા ભારે પ્રયત્‍નો કર્યા બાદ અંતે દબોચી લીધો છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ સરફરાજ હુશેન મકવાણાની અગાઉ  ત્રણ આપઘાતના બનાવમાં સંડોવણી ખુલી  હતી અને તે જેલની સજા પણ ભોગવી ચૂકયો છે. પકડાયેલ સરફરાઝની વિશેષ પૂછતાછ હાથ ધરાઇ છે.

(12:45 pm IST)