Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વિસાવદરના સમાજ શ્રેષ્‍ઠીઓ પૂ. મુકતાનંદબાપુ પ્રેરિત જય અંબે હોસ્‍પિટલની મુલાકાતે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૬: ક્રાંતિકારી સંત પૂ.મુકતાનંદબાપુ પ્રેરિત ૅજય અંબે હોસ્‍પિટલની શુભેચ્‍છા મુલાકાતે વિસાવદરના સમાજ શ્રેષ્ઠીઓ સર્વ શ્રી ઘનશ્‍યામભાઇ સાવલિયા, રમણીકભાઇ દુધાત્રા, ભાસ્‍કરભાઇ જોષી,મધુભાઇ પદમાણી, અબુલીભાઇ હિરાણી, અરવિંદભાઇ ગોંડલીયા, ચંદ્રકાન્‍ત ખુહા, રમણીકભાઇ ગોહેલ, ડો.જોષી, રમેશ  માંગરોલિયા, રસિક પરમાર, કિશોર સાગઠીયા સહિતના આગેવાનોએ પુ.મુકતાનંદબાપુના આશીર્વાદ મેળવી હોસ્‍પિટલના તમામ વિભાગોનુ નિરિક્ષણ કરી ઘર આંગણે ઉપલબ્‍ધ ઉત્‍કળષ્ટ આરોગ્‍ય સેવાઓથી ધન્‍યતા અનુભવી હતી.

વિસાવદરના માજી નગરપતિ ઘનશ્‍યામભાઇ સાવલિયાના જણાવ્‍યા અનુસાર વિસાવદરના ચાપરડા આશ્રમ ખાતે પૂ. મુકતાનંદ બાપુ દ્વારા સંચાલિત જય અંબે હોસપિટલની મુલાકાત લેવાનું સૌને સદ્દભાગ્‍ય પ્રાપ્ત થયું, વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવતી આધુનિક સુવિધાયુક્‍ત સારવાર પદ્ધતિ અંગે સંજયભાઇ વઘાસીયાએ માહિતગાર કર્યા હતા ત્‍યારબાદ પુ.મુકતાનંદ બાપુના દર્શન-સમાગમનો આગેવાનોએ લાભ લીધો.

(1:27 pm IST)