Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબીમાં શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીની આત્માની શાંતિ અર્થે યજ્ઞ અને પ્રાર્થના સભા યોજાઈ.

મોરબીના પરશુરામ ધામ ખાતે અનંત વિભૂષિત પ.પુ. શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે યજ્ઞ અને પ્રાર્થના સભા કરવામાં આવી હતી
જે યજ્ઞના આચાર્ય પદે જીતુભાઇ પીઠડ વાળા બિરાજમાન હતા સાથે સમાજના અગ્રણીઓ અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડયા, ભુપતભાઇ પંડ્યા, મુકુંદભાઈ જોશી, ચિંતન ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, નિરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ દવે,  મહેશભાઈ ભટ્ટ, એન એન ભટ્ટ, દીપકભાઈ દવે, દિનેશભાઇ રાવલ, યગ્નેશ જાની, કિરણબેન ઠાકર,  જયશ્રીબેન જોશી સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. ધાર્મિક કાર્યને સફળ બનાવવા મનોજભાઈ પંડ્યા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(12:24 am IST)