Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કોરોનામાં માતા ગુમાવનાર મનિષાએ વિયોગમાં ઝેર પીધું

બાબરાની યુવતિને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૬: બાબરામાં કરીયાણા રોડ પર વૃંદાવન પાર્ક સામે રહેતી મનિષાબેન ખીમજીભાઇ સાગઠીયા (ઉ.વ.૨૮)એ રાતે ઘઉંમાં રાખવાની ઝેરી દવા પી લેતાં બાબરા, ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ બાબરા પોલીસને જાણ કરી હતી.

મનિષાબેન ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે છે. તેના પિતા છુટક મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ મનિષાબેનના માતા હંસાબેનનું એક વર્ષ પહેલા કોરોનાથી મૃત્યુ થયું હોઇ તેમના વિયોગમાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.

(11:39 am IST)