Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જૂનાગઢનાં ડુંગરપુરનાં યુવાનનો બેકારી અને દારૃની ટેવથી આપઘાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬: જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામનાં ૩ર વર્ષીય અજયભાઇ વિનુભાઇ વિરસોડીયા નામનાં યુવાને આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મરનાર યુવકને દારૃ પીવાની ટેવ હતી જેનાં કારણે કયારેક મજુરી કામે જતો હોય તેથી બેકારી આંટો લઇ ગઇ હતી.

ગઇકાલે અજયભાઇએ બેકારીથી અને દારૃ પીવાની ટેવથી કંટાળીને પોતાનાં ઘરે દોરી વડે ગળાફાંસો ખાયને મોતને મીઠું કરી લેતા તાલુકા એએસઆઇ કે. એમ. દાફડાએ તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)