Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જુનાગઢ સિવીલના પાંચમા માળેથી ખાબકતા પ્રૌઢનું મોત

આપઘાત કે અકસ્‍માતે મોત અંગે તપાસ

(વિનુ જોશી) જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ સીવીલનાં પાંચમાં માળેથી ખાબકતા એક પ્રૌઢનું ગંભીર ઇજા થવાની મૃત્‍યુ નિપજયુ હતું.
જુનાગઢનાં ઢાલ રોડ પાસે આવેલ પાડાવાળા ચોક વિસ્‍તારમાં રહેતા અર્બુલ સતારભાઇ યુસુફભાઇ મહિડા (ઉ.વ.પ૪) નામનાં પ્રૌઢ અંગેની સીવીલ હોસ્‍પિટલના પાંચમાં માળેથી નીચે ખાબકતા તેમનું મૃત્‍યુ થયુ હતું.
મૃતક કેવી રીતે સીવીલનાં પાંચમાં માળેથી પડયા તેની વિગતો બહાર આવી નથી. એ ડીવીઝન પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ કાર્યવાહી કરી હતી.
આ પ્રૌઢનું મોત અકસ્‍માતે થયુ છે કે પછી તેમણે આપઘાત કરેલ તે અંગે પીએસઆઇ આર. પી. ચુડાસમા તપાસ ચલાવી રહ્યા છે.
આવા અન્‍ય એક બનાવમાં જુનાગઢનાં અંબિકા ચોક પાસે રહેતા ભીખુભાઇ જગજીવન રાઠોડ (ઉ.વ.પ૦)નું પડી જવાથી માથામાં ઇજા થતાં મૃત્‍યુ થતાં પીએસઆઇ એ. કે. પરમારે તપાસ હાથ ધરી છે.

 

(10:21 am IST)