Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

માંગરોળના સકરાણાનાં સોનીના ગ્રાહકોને રૂા. ૧૦.૨૦ લાખનો ચુનો

સોનુ અને દાગીના બનાવવાને બદલે ઓળવી ગયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭ : માંગરોળના સકરાણાના સોનીએ ગ્રાહકોને રૂા ૧૦.૨૦ લાખનો ચુનો ચોપડી દીધો હોવાનું પ્રકાશમાં આવ્‍યું છે.

મુળ પોરબંદર જિલ્લાના વતની અને હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળના મીતી ગામે રહેતા દેવજીભાઇ ઉર્ફે દેવો છગનભાઇ ચૌહાણે સકરાણા ગામના સોની અનીલ નરસી પાલાને સોનાનાં ચાર કડા અને સોનાનો ચેન બનાવવા આપેલ.

પરંતુ આ વ્‍યકિતને દેવજીભાઇનું રૂા ૧.૨૫ લાખનું સોનું તથા અન્‍ય ગ્રાહકોએ દાગીના બનાવવા આપેલ નાણા મળી કુલ રૂા. ૧૦ લાખનો મુદ્દામાલ અનીલ પાલાએ પરત કરેલ નહીં

આમ સોની વેપારીએ વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ થતા શીલના પી.એસ.આઇ એન.ક્ષત્રિયે તપાસ હાથ ધરી છે. 

(12:23 pm IST)