Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મજુરી કામ ન ગમતા પરપ્રાંતીય સગીરાનો આપઘાત

ભેસાણના માંડવા ગામે અરેરાટી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૭ : મજુરી કામ ન ગમતા ભેસાણ પંથકમાં એક પરપ્રાંતીય સગીરાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મધ્‍યપ્રદેશના કુમારભાઇ હરશી બામળીયા તેના પરિવાર સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામે મજુરી કામે આવેલ.

પરંતુ આ પરિવારની ૧૫ વર્ષીય દિકરી લલીતાને મજુરી કામ કરવું ગમતું ન હોય આથી તેણીએ કુવામાં ઝંપલાવીને મોતને મીઠું કરી લીધું હતું.

પરપ્રાંતીય પરિવારની દિકરીએ આત્‍મહત્‍યા કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.

(11:48 am IST)