Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે ૨૬મી જાન્‍યુઆરીના ત્રિરંગાના દિવ્‍ય શણગાર દર્શન

વાંકાનેર,તા. ૨૭: વાંકાનેર તાલુકાના જગ વિખ્‍યાત યાત્રાધામ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરા ખાતે તા, ૨૬ મી જાન્‍યુઆરીના ગુરૂવારના રોજ નિજ મંદિરમા અનોખા ‘ત્રિરંગાના શણગાર દર્શન ', તેમજ ભારતનો નકશો બનાવવામા આવેલ હતો તેમજ રંગબેરગી ફુગ્‍ગાઓથી શણગાર કરવામાં આવેલ હતા વિશાળ સંખ્‍યામા ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ હતો તેમજ આગામી તા.૨૯ / ૧ / ૨૩ ને મહાસુદ આઠમને રવિવારના રોજ ‘શ્રી ખોડિયાર જયંતી' નિમિત્તે માતાજીના નિજ મંદિરમા અનોખા પુષ્‍પોના શણગાર દર્શન, વિધ વિધ ફૂલોની રંગોળી કરવામાં આવશે પ્રતિ વર્ષ મહાસુદ આઠમ ને શ્રી ખોડિયાર જયંતીના પાવન દિવસે દૂર દૂરથી ભાવિકો માતાજીના દર્શનાર્થે પધારે છે અને ભોજનાલયમા માતાજીનો મહાપ્રસાદ લ્‍યે છે. તેમજ અસંખ્‍ય ભાવિકો ખોડિયાર જયંતીના માતાજીના દરબારમા ધજા ચડાવે છે ખોડિયાર માત કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠે છે ખોડિયાર જયંતી અને રવિવાર હોય હજારો ભાવિકો દર્શનાથે પધારશે સર્વ ભાવિકોને પધારવા આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલના મહંત શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. 

(12:04 pm IST)