Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સેવા કરનાર જલારામ મંદિરના અગ્રણીઓનું વહીવટી તંત્ર દ્વારા સન્‍માન કરાયું

મોરબી : ઝૂલતો પુલ દુર્ઘટનામાં સેવા કરનાર મોરબી જલારામ મંદિરના અગ્રણીઓનું જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મોરબી જુલતા પુલ દુર્ઘટના સમયે બચાવ તેમજ રાહત કામગીરીમાં અનન્‍ય સેવા પ્રદાન કરવામાં આવી હતી જે બદલ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્‍છ,  હસુભાઈ પંડિત, નિર્મિતભાઈ કક્કડ સહીતનાં અગ્રણીઓનુ સન્‍માન પારિતોષિક અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. આ તકે મોરબી જીલ્લા કલેક્‍ટર જી.ટી. પંડ્‍યા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ ધારાસભ્‍ય પરસોતમભાઈ સાબરીયા સહીતનાં અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : પ્રવિણ વ્‍યાસ મોરબી)

(1:28 pm IST)