Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબીના પાવન કાંજીયાએ ધો.10માં ગણિતમાં 100 માર્ક મેળવી કીર્તિમાન સ્થાપ્યો.

99.49 P R મેળવીને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામના, હાલ મોરબી સ્થિત અને જાણીતા હાસ્ય વ્યંગ લેખક ડૉ. અમૃત કાંજિયા તેમજ હંસાબેન કાંજિયાના પુત્ર પાવન એ માર્ચ 2023 માં લેવાયેલી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવીને કીર્તિમાન સ્થાપ્યો છે.

આ સાથે તેણે 99.49 P R મેળવીને આ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ હોનહાર સિદ્ધિ હાંસલ કરીને પાવન કાંજિયા એ પરિવાર, ગામ અને નિર્મલ વિદ્યાલયને ગૌરવ અપાવ્યું છે. ભવિષ્યમાં એમની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

(1:01 am IST)