Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું:માછીમારોને દરિયો ન ખેડવા સૂચના: તંત્ર એલર્ટ

આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતા

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતાઓ છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

(7:53 pm IST)