Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીમાં વરસાદને પગલે શહેરની દુર્દશા થઇ, મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી પંથકમાં વરસાદી માહોલમાં મોરબી શહેરની દુર્દશા જોવા મળે છે ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયા હોય જે મામલે સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીમાં હજુ પાંચ ઇંચ વરસાદ થયો નથી ત્યાં મોરબીના રોડ પર ખાડા પડવાનું શરુ થયું છે શનાળા બાયપાસથી રફાળેશ્વરને જોડતો મચ્છુ ૨ ની કેનાલને સમાંતરે આવેલ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે
ઉપરાંત પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં વરસાદી પાણીના તળાવો જોવા મળે છે જેથી મોરબીને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે કરાવીને મોરબી શહેરની જનતાને રાહત આપવા માંગ કરી છે

 

(9:24 pm IST)