Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઉનાને ફરી લીલી નાઘેર બનાવવાનો હોમગાર્ડઝ દ્વારા સંકલ્પઃ વૃક્ષારોપણ

 

ઉના, તા. ૨૭ :. હોમગાર્ડઝના જવાનોએ ઉનાને લીલી નાઘેર બનાવવા વૃક્ષોનું વાવેતર કરી ઉછેરવા સંકલ્પ કર્યો છે અને વૃક્ષારોપણ અભિયાન શરૂ કરી દીધુ છે. ગીર સોમનાથ જીલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ અતુલભાઈ ઠાકરની સૂચના - માર્ગદર્શન ઉના હોમગાર્ડ યુનિટના કમાન્ડન્ટ કૈલાસભાઈ ભટ્ટ તથા હોમગાર્ડઝના જવાનોએ ઉનાને ફરી લીલી નાઘેર બનાવવા માટે હોમગાર્ડઝ કચેરી તથા અન્ય વિવિધ સ્થળો ઉપર જુદા જુદા વૃક્ષોના છોડના રોપાઓનું રોપણ કરી તમામ વૃક્ષને જીવની જેમ ઉછેર કરવા સંકલ્પ લીધો હતો અને દરેક જવાનોને ઘરે એક એક વૃક્ષના રોપ વિતરણ કરવામાં આવેલ હતા.

(11:49 am IST)