Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાવનગરમાં ૪૫ કેસો : ૩૭ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર તા.૨૭ : જિલ્લામા વધુ ૪૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૫૫૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા જેસર ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના પીપરડી ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના ખદરપર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 મહાનગરપાલિકા વિસ્તારના ૨૧ અને તાલુકાઓના ૧૬ એમ કુલ ૩૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને  હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૫૫૩ કેસ પૈકી હાલ ૪૯૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૦૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:27 am IST)