Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાવનગરમાં ૭૨૦૦ રેપીડ એન્ટીજન ટેસ્ટ, બે લાખ દર્દીઓની તપાસ બાદ ૬૪ કોરોના દર્દીઓને સારવાર અપાઇ

ધનવંતરી આરોગ્ય રથની સફળતમ કામગીરી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૭: ભાવનગર જીલ્લામા કાર્યરત ૪૪ ધન્વંતરી આરોગ્ય રથ મારફત ગામડે - ગામડે અને નગરપાલીકાના વિવિધ વિસ્તારોમા આરોગ્યની વિવિધ સેવાઓ આપવામા આવી રહી છે. આજદીન સુધીમાં ધન્વંતરી રથની સેવાનો લાભ બે લાખ કરતા વધુ દર્દીઓએ લઇ ચુકયા છે.

આરોગ્ય રથ દ્વારા ૫૫૭૯ જેટલી સાઇટની મુલાકાત લઇ ૨,૦૨,૭૬૪ જેટલા OPD બેઝ દર્દીઓ તપાસવામા આવ્યા જેમાથી ૨૦૦ જેટલા દર્દીઓને વધુ સારવાર માટે રીફર કરવામા આવ્યા, ૯૨૬૪ જેટલા તાવના દર્દીઓ, ૬૯૫૨ ડાયાબીટીસ, ૮૧૯૯ જેટલા હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ જોવા મળેલ હતા.અને ૭૨૪૦ જેટલા કોરોના માટે શંકાસ્પદ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટની મદદથી ટેસ્ટ કરવામા આવ્યા. જેમાથી ૬૪ જેટલા કોરોના પોઝીટીવ દર્દી મળેલ છે. આરોગ્ય રથ દ્વારા ઉકાળા વિતરણ અને આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવ્યુ છે અને સાથે સાથે ૬૯૧ જેટલા એકશન હોટ સ્પોટની અત્યાર સુધીમા મુલાકાત લેવામા આવી છે.

જિલ્લા કલેકટરની સુચના મુજબ ધન્વંતરી રથ દ્વારા શાક ભાજી વિક્રેતાઓ, એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કારખાનાઓ, કરીયાણાની દુકાન વગેરે જેવા સુપર સ્પ્રેડરો તેમજ ભીડવાળી અન્ય જગ્યાઓની મુલાકાત પણ ધન્વંતરી રથ દ્વારા લેવામા આવી રહી છે અને ત્યાના લોકોની આરોગ્ય તપાસ, પલ્સ ઓકસીમીટરની મદદથી ઓકસીજનના લેવલની તપાસ , અને જરૂર જણાયે કોરોનાના નિદાન અર્થે એન્ટીજન ટેસ્ટ પણ કરવામા આવે છે અને હોમ આઇસોલેશન વાળા દર્દીઓની પણ મુલાકાત કરવામા આવી રહી છે.

અલંગ શીપ યાર્ડ, સર્વોતમ દૂધની ડેરી,સરકારી કચેરીઓ જેવી વિવિધ જગ્યાએ કર્મચારીઓ, મજૂરો અને ત્યા રહેતા-કામ કરતા લોકોનુ હેલ્થ ચેક અપ , આરોગ્ય પ્રદ ઉકાળા વિતરણ, અને હોમીયોપેથીક દવા આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવી રહ્યુ છે અને ખૂબજ મોટા પ્રમાણમા ટેસ્ટીંગની કામગીરી ધન્વંતરી રથની વિવિધ ટીમ દ્વારા કરવામા આવી રહી છે.

ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય સેતુ અને હિસ્ટ્રીના પૃથ્થકરણ કરાયેલા ડેટાના આધારે એકશન હોટ સ્પોટ અને ઇમર્જીંગ હોટસ્પોટના વિસ્તારો અને પોઝીટીવ કેસના વિસ્તારોને પ્રાથમિકતા આપી આગોતરૂ આયોજન કરી સરકારના ‘3 T’ સિધ્ધાંત- ટ્રેસ, ટેસ્ટ, અને ટ્રીટ ને અનુસરીને પ્રસંશનીય કામગીરી કરવામા આવી રહી છે. જેનો વધુમાં વધુ લાભ લેવા જીલ્લા વિકાસ અધિકારી  અને જીલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરેલ છે.

(11:33 am IST)