Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જામકલ્યાણપુર તાલુકામાં ગૌચરની જમીનો પર દબાણ હટાવવા માંગ

(કૌશલ સવાજાણી) ખંભાળીયા, તા.,ર૭ : ગુજરાત માલધારી સેના પ્રમુખ તા. જામકલ્યાણપુર  જયેશભાઇ ભરવાડ રહે. જામકલ્યાણપુરએ જામનગર જિલ્લા કલેકટર તેમજ જામકલ્યાણપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી તાલુકામાં ગૌચરની જમીનો પર થયેલ દબાણો તાકીદે દુર કરવા માંગણી કરી છે.

આવેદન પત્રમાં જણાવેલ છે કે ગૌચરની જમીન બચાવવા મામલતદારની આગેવાનીમાં સેલની રચના કરવી, આ સેલમાં માલધારી સમાજના એક શખ્સને નિમણુંક આપવા, સેલ દ્વારા થયેલા દબાણનો સર્વે કરાવવા, દબાણ દુર કરવા જતી પાર્ટીને પોલીસ રક્ષણ પુરૂ પાડવા, પશુપાલકોને વાડા આપવા, દર પાંચ ગામે એક પશુ સારવાર કેન્દ્ર ચાલુ કરવા તેમજ ગૌચરની જમીન પર થયેલા દબાણની વિગતો મેળવી તાકીદે દબાણ દુર કરવાની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

(11:43 am IST)