Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે હરિનવમીના પુનિત પર્વે ઠાકોરજીને અભિષેક કરતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

રાજકોટ : ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે કોરોના મહામારીના આ વિપરીત સમયમાં સર્વજી વહિતાવહ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશને નજરમાં રાખીને માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે કોઇ પણ હરિભકતોની ઉપસ્થિતિ વિના કેળવ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રીબડા ખાતે ભાદ્રમાસના પ્રથમ હરિનવમીના દિવસે મેમનગર ગુરૂકુલથી ખાસ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પધારી, ઠાકોરજીનું ષોડશોપચાર પૂજન કરી અભિષેક કરી આરતી ઉતાીર હતી. શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી પણ પૂજનમાં જોડાયા હતા.

(3:48 pm IST)