Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

એસજીવીપી ગુરૂકુળ રીબડા ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી હસ્તે થયેલ ગૌપૂજન

રાજકોટ : ગાય તો હિન્દુઓની માતા તરીકે આદરણીય છે. ગાયોનું દૂધ, દહીં, ઘી વગેરે પંચગવ્ય માનવ માટે આરોગ્યપ્રદ છે. એસજીવીપી  ગુરૂકુલની નૂતન શાખા રીબડા ગુરૂકુલ ખાતે ગીર ગાયોની સેવા થઇ રહી છે. ભાદરવા માસની પ્રથમ હરિનૌમીના દિવસે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી હસ્તે તથા SGVP ગુરૂકુલ રીબડાનું સંચાલન કરતા શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ ગાયોને ગોળ ખવરાવી મસ્તકે કુમકુમનો ચાંદલો કરી ગૌપૂજન કર્યું હતું. શાસ્ત્રી ધર્મવત્સલદાસજી પણ પૂજનમાં જોડાયા હતાં.

(3:49 pm IST)