Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાવનગર જિલ્લાના બોરડા ગામની પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૭ : બોરડા ગામે પરિવાર સાથે રહી ખેત મજુરી કરતી ત્રણ સંતાનોની માતા રમીલાબેન ઈસાભાઈ પરમાર ઉ.વ આ ૩૫ એ ગત રાત્રે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધેલ હતું. આજે સવારે પરિવાર જનોને ખબર પડતાં દાઠા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પંચનામું કરી લાશને પી.એમ માટે તળાજા સરકારી દવાખાને લાવેલ.

અહીં પરણીતાંના સાસુ એ જણાવ્યું હતું કે દીકરાએ મૃતક પરણીતાં જયાં ખેત મજૂરીએ જતી હતી. ત્યાં કોઈ ઈસમ સાથે અનૈતિક સબંધ બાંધેલ હોય તે જોઇ જતા ગતરાત્રે ઝગડો થયેલ.જેને લઈ પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધેલ. જોકે મૃતક ના સાસુ સુરત ખાતે રહેતા હતા.તેના દીકરા એ ફોનમાં ગઈકાલે વાત કરેલ હોય રાત્રે જ સુરતથી અહીં આવવા રવાના થયા હતા.

પો.સ.ઇ મહેશ્વરી એ ઉમેર્યું હતુંકે પરણીતાની આત્મહત્યા ને લઈ જે આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈ તપાસ ચાલીરહી છે.  ઉપરાંત પરણીતાંને ગળેફાંસો આપી મારી નાખવાની વાત પણ વહેતી થઈહતી.જેને લઈ પોલીસે જણાવ્યું હતુંકે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ.અલગ અલગ નિવેદનો ઉપરાંત પી.એમ રિપોર્ટની રાહ પણ જોવાય રહી છે.

(10:38 am IST)