Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પોરબંદરની યુવતી સસ્પેન્ડેડ પોલીસ સાથે નાસી ગયા બાદ રાણાવાવમાં શંકાસ્પદ મોત

એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા જીવ ગુમાવ્યોઃ આપઘાત કે અકસ્માત...? : મૃતદેહને પી.એમ. માટે જામનગર લઇ જવાયોઃ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીઃ ઉંડાણપુર્વક તપાસ

(પરેશ પારેખ, હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭: શહેરમાંથી એક સસ્પેન્ડેેડ પોલીસ કર્મચારી સાથે નાસી ગયા બાદ પાયલ સુરેશભાઇ થાનકી (ઉ.વ.રર)નું રાણાવાવમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જવાથી મોત નિપજયું હતું.

પોલીસે આ બનાવમાં અકસ્માતે મોત (એ.ડી.)ની નોંધ કરીને આ બનાવ આપઘાતનો કે અકસ્માતનો...? તે અંગે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી છે. મૃતક પાયલના મૃતદેહને પીએમ માટે જામનગર લઇ જવાયેલ છે.

શહેરના જયુબેલી વિસ્તારમાં પિતા સાથે રહેતી પાયલ સુરેશભાઇ થાનકી (ઉ.વ.રર) વીસેક દિવસ પહેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી કરશન કાનાભાઇ ઓડદરા સાથે પોરબંદરની નાસી જઇને રાણાવાવમાં ભાડાના એપાર્ટમેન્ટમાં સસ્પેન્ડેડ  પોલીસ કર્મચારી કરશન કાનાભાઇ સાથે રહેતી હતી. કરશન કાના પરણીત છે. આ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અકસ્માતે પાયલ સુરેશભાઇ પડી જતા તેનું મૃત્યુ થયું હતું.

આ બનાવ આપઘાત કે અકસ્માત ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પાયલના મૃત્યુના બનાવને શંકાસ્પદ ગણી ઉંડાણપુર્વક  તપાસ થઇ રહી છે.

પાયલના મૃતદેહને પીએમ માટે જામનગર લઇ જવાયેલ છે. પોલીસે આ બનાવમાં એ.ડી.ની નોંધ કરી છે. બીજી બાજુ પાયલના મૃત્યુ પાછળ પ્રેમ પ્રકરણ કે અન્ય બાબત ...? તે અંગે પણ તપાસ શરૂ થઇ છે. પીએસઆઇ પી.ડી.જાદવે વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)