Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભાવનગર : જાણીતા લેખિકા નીલાબેન સંઘવીના ચાર પુસ્‍તકોનો લોકાર્પણ સમારોહ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૭ : જાણીતા લેખિકા શ્રીમતી નીલાબેન સંઘવીના ચાર પુસ્‍તકોનો લોકાર્પણ સમારોહ ગુરૂવાર તા. ૨૯ સાંજે ૪:૩૦ કલાકે રાજપુરિયા બાગ નવીન ઠક્કર માર્ગ, વિલે પાર્લા(ઇસ્‍ટ) મુંબઇ ખાતે યોજાનાર છે.

કપોળ વણિક સાહિત્‍ય સભાના પ્રમુખ કિશોરભાઇ મહેતા, તંત્રી હિરેનભાઇ મહેતા, નિલેશભાઇ દવે, કુંદનભાઇ વ્‍યાસ, રાજેશભાઇ થવાણી, આશુભાઇ પટેલ અતિથિ વિશેષપદ શોભાવશે. હેમંત ઠક્કર દ્વારા અજંપો,સ્ત્રી એટલે શક્‍તિ, નીલાબેન સંઘવીની નવી વાર્તા - નવા જમાનાની નવી વાતો મળી ચાર પુસ્‍તકોનું પ્રકાશન થયું છે.

મુખ્‍ય મહેમાન પદે હંસાબેન બી. મહેતા, તથા સંચાલન પ્રો. અશ્‍વિન મહેતા કરશે. આ અલૌકિક સાહિત્‍યકારોના મેળાવડાનો લાભ લેવા કનકેશ્‍વરી માતાજી પરિવારના ધર્મેશ ગાંધીએ અનુરોધ કર્યો છે. લેખિકા નીલાબેન સંઘવી લીખીત અનેકાનેક પુસ્‍તકોનું પુ. મોરારીબાપુ, સંતો-મહંતોના હસ્‍તે વીમોચન થયેલ છે. હૈયાને ટાઢક થાય તેવા પુસ્‍તકો લખવામાં નીલાબેન માહેર છે.તેમ મનીષ પી. દવેની યાદીમાં જણાવેલ છે.

(11:58 am IST)