Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

લાઠી ખેડૂતોના વીજ પ્રશ્‍ને ધારાસભ્‍ય ઠુંમરે ઘેરાવ કર્યો

 દામનગર : લાઠી મગળપરા વિસ્‍તારના ખેડૂતોને ખેતીવાડી વીજળીના સમસ્‍યા અંગે ધારાસભ્‍યને જાણ કરતા  લાઠી પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી દામનગર અને લાઠી પીજીવીસીએલ કચેરીનો સંયુક્‍ત પ્રશ્‍ન હોય ફીડરના બે ભાગ કરી ગુરૂવાર સુધીમાં આ પ્રશ્‍ન પૂર્ણ કરવા માટે ખાત્રી આપતા ખેડૂતોને સંતોષ ની લાગણી ફેલાય છે. ઘેરાવ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગોયાણી ભરતભાઈ લાડોલા હિંમતભાઈ શંકર તેમજ અન્‍ય ખેડૂત ઉપસ્‍થિત રહી પ્રશ્‍નનો સ્‍થળ  પર નિકાલ કરવા માટે ખાત્રી મળતા શુક્રવાર સુધીમાં આ કાર્ય પૂર્ણ ન થાય તો ધારાસભ્‍યશ્રીએ નાગરિક કચેરી સામે ખેડૂતોની હાજરીમાં ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ આપી હતી. (તસ્‍વીરઃ વિમલ ઠાકર,દામનગર)

(1:36 pm IST)