Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સાવરકુંડલામાં મોગલ માતાની ઘીની બનાવેલી મૂર્તિના દર્શનાર્થે ભારે ભીડ

ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આયોજન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૭ : સાવરકુંડલા ખાતે નવરાત્રી ઉત્‍સવ દરમ્‍યાન જુદા જુદા યુવક મંડળો દ્વારા વિસ્‍તાર વાઇજ નવરાત્રી ઉત્‍સવના આયોજન કરવામાં આવેલ છે. ત્‍યારે જયશ્રી સિનેમા પાસે મેલડી ચોક ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા, મોગલ માતાજીની ઘી ની મૂર્તિ બનાવામાં આવી છે. મૂર્તિ બનાવવા માટે એકસોએકવીસ કીલો, ઘી વાપરવામાં આવ્‍યું છે. ેસોમવારે પહેલા નોરતે આ મૂર્તિ ખુલ્લી મુકવામાં આવતા તેના દર્શન માટે શહેર ભરમાંથી ભાવિકો ઉમટી પડયા હતા અને પહેલા નોરતાથીજ ભાવિકો જબ્‍બર ધસારો જોવા મળી રહ્યો છે.

(4:50 pm IST)