Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી મહોત્‍સવમાં પ્રથમ નોરતેથી જ ખેલૈયાઓએ રમઝટ બોલાવી

જુનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ સ્‍થિત કૈલાશ ફાર્મ ખાતે સંસ્‍થાપક જયદેવભાઇ જોશી કાર્તિક ઠાકર અને પ્રમુખ વિશાલ જોષી અને તેની સમગ્ર ટીમ દ્વારા પરશુરામધામના નિર્માણ અર્થે નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમાં લાબડીયા ગ્રુપ ઓરકેસ્‍ટા સાથે ખેલૈયા જમાવટ કરી રહ્યા છે. ગત રાત્રે પ્રથમ નોરતે માતાજીની આરતીમાં ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, આમ આદમી પાર્ટીના વિજય ચાવડા, રાજૂભાઇ ભેડા, પરબતભાઇ નાઘેરા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી કથાકાર મહાદેવપ્રસાદ મહેતા એલસીબી પીએસઆઇ જે. જે. ગઢવી, દિપકભાઇ બડવા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:49 pm IST)