Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબી સંવિધાન રેલીમા મંત્રીઓ, સાંસદો,ધારાસભ્યો, સહીત અગ્રણીઓ જોડાયા.

ગાંધી ચોકથી નગર દરવાજાના ચોક સુધિપગપાળા રેલી :નગર દરવાજાના ચોકમાં સભા યોજાઈ

મોરબી : ડો.બાબા સાહેબ આંબેડકર દ્રારા ભારત દેશનું ઘડાયેલ બંધારણ ૨૬ નવેમ્બર જે સમગ્ર ભારતનો બંધારણ દીવસ કહેવામાં આવ્યો છે અને ૨૬ ના મોરબી જિલ્લા ભાજપ દ્વારા બંધારણ દીવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનુ પ્રસ્થાન ગાંધી ચોકથી નગર દરવાજાના ચોક સુધિપગપાળા  રેલી હતી અને નગર દરવાજાના ચોકમાં સભા યોજાઈ હતી ત્યારે હાજર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ અને ગુજરાતનાં સંગઠન મંત્રી વિનોદભાઈ ચાવડ , પુર્વ કેન્દ્રિય મંત્રી અને સાંસદ  મોહનભાઈ કુંડારિયા, ગુજરાતના મંત્રી  અને મોરબી- માળિયાના લોકલાડીલા ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તથા જિલ્લા ના મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખા ભાઈ જારીયા તેમજ મોરબી શહેરના મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, રીસિપભાઇ કૈલા તેમજ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ તેમજ મોરબી નગરપાલિકાના કાઉન્સિલરો,પાર્ટીનાં હોદેદારો અને કાર્યકર્તા ઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહભેર ડો.બાબાસાહેબ આંબેડકરના હાથે ઘડાયેલ બંધારણ દિવસની  ઉજવણી કરવામાં આવી હતી

(10:57 am IST)