Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબીમાં દલિત પરિવાર સાથે ભોજન કરી મંત્રીએ સંવિધાન દિવસની યથાર્થ ઉજવણી કરી.

મોરબી : સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે રાજ્યના મંત્રીએ દલિત પરિવાર સાથે ભોજન કરીને સંવિધાન દિવસની યથાર્થ ઉજવણી કરી હતી
મોરબી ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં રાજયના પંચાયત, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાઍ ભાગ લીધો હતો ત્યાર બાદ તેમના મોરબી ખાતેના નિવાસસ્થાન નાલંદા કેમ્પસ વીરપર ખાતે દલિત પરિવારના શાંતુબેન દિનેશભાઇ ચાવડા તેમજ દેવુબેન ગોકળભાઇના પરિવારનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ પરિવાર સાથે સમય વિતાવી ચા, નાસ્તો અને ભોજન લીધું હતું ઉપરાંત તેમના પરિવારની ક્ષેમકુશળતા અંગેની પૃચ્છા કરી હતી. આમ સંવિધાનના સર્જક ઍવાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની વંચિતોના વિકાસની જે ખેવના હતી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા બ્રિજેશ મેરજાઍ સરાહનીય પગલું ભર્યુ હતુ.

(11:09 am IST)