Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે વધુ ચાર રોડના ખાતમુર્હત કાર્યક્રમ.

હીરાસરી રોડ, રવાપર રોડથી અવની ચોકડી, ત્રિકોણનગર સોસાયટી, કેનાલ રોડ મોરબી, ન્યુ મારૂતિ નગર વાવડી રોડ મોરબી અને ધર્મસૃષ્ટિ બાયપાસ રોડ મોરબી એમ ચાર રોડના ખાતમુર્હત

મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ચાર રોડના ખાતમુર્હત કાર્યક્રમ શનિવારે યોજાશે જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહેશે
મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરી રોડ, રવાપર રોડથી અવની ચોકડી, ત્રિકોણનગર સોસાયટી, કેનાલ રોડ મોરબી, ન્યુ મારૂતિ નગર વાવડી રોડ મોરબી અને ધર્મસૃષ્ટિ બાયપાસ રોડ મોરબી એમ ચાર રોડના ખાતમુર્હત તા. ૨૭ ને શનિવારના રોજ યોજાશે જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

(11:11 am IST)