Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

નવા થોરાળાના સફાઇ કામદાર કાળુભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૭: નવા થોરાળા શેરી નં. ૬માં રહેતાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૧૫ બમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં કાળુભાઇ રવજીભાઇ શીંગાળા (ઉ.વ.૫૪) રાતે દસેક વાગ્યે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ થોરળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. 

(11:50 am IST)