Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ભાવનગરમાં કોરોના થી વધુ ચારના મોત અને ૩૫૭ કોરોના પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૧,૮૭૨ કેસો પૈકી ૨,૯૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: ભાવનગર જિલ્લામા વધુ ૩૫૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૧,૮૭૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૩૫ પુરૂષ અને ૯૮ સ્ત્રી મળી કુલ ૨૩૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૩, દ્યોદ્યા તાલુકામાં ૨૨, તળાજા તાલુકામાં ૩૫, મહુવા તાલુકામાં ૮, વલ્લભીપુર તાલુકામાં ૪, ઉમરાળા તાલુકામાં ૮, પાલીતાણા તાલુકામાં ૨, સિહોર તાલુકામાં ૧૦ તેમજ ગારીયાધાર તાલુકામાં ૨ કેસ મળી કુલ ૧૨૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તાલુકાઓમાં ગારીયાધાર ખાતે રહેતા એક અને ઉમરાળા તાલુકાનાં ધોળા ખાતે રહેતા એક એમ મળી કુલ ચાર દર્દીંઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૧૪ અને તાલુકાઓમાં ૧૦૧ કેસ મળી કુલ ૨૧૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૧,૮૭૨ કેસ પૈકી હાલ ૨,૯૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:20 am IST)