Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સોમનાથ પંથક વર્તમાન કોરોના અનુલક્ષી ૬૦ ટકા એસટી બસો બંધ

(મીનક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.ર૮ : વર્તમાન કોરોના મહામારી મેટ્રો શહેરોમાં નાઇટ કરફયુ સંક્રમણ સાવચેતી અને સરકારશ્રીની તથા એસટીની ગાઇડ લાઇન માર્ગદર્શન અનુસાર સોમનાથ વેરાવળ પંથકમાં  ૬૦ ટકા જેટલી એસટી બસોનું સંચાલન અહીંથી બંધ થયેલ છે. તેમ સોમનાથ વેરાવળના એસ.ટી. ડેપો મેનેજર ભાવેશભાઇ રબારી કહે છે.

વિશેષમાં તેઓ કહે છે મેટ્રો શહેરોમાં નાઇટ કરફયુ હોઇ જેથી લાંબાગાળાની એકસપ્રેસ સ્લીપર બસો તો અગાઉથી જ બંધ કરી દેવાઇ છે. અને આજે ગુજરાતના ર૯ શહેરોમાં નાઇટ કરફયુ જાહેર થતાં ટુંકાગાળાની જ એસ.ટી. બસો ચાલે છે. તે કરફયુ શરૂ થાય તે પહેલાના કલાકોમાં ડેપોમા પરત આવી જાય તેવું આયોજન પુર્ણતાને આરે છે.પ્રવાસીઓને અગવડ ન પડે અને સલામત સવારી અમારૃં લક્ષ્ય છે.

(11:29 am IST)