Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પોરબંદરમાં કોરોનાના નવા ૪૦ પોઝીટીવ કેસ અન્ય ૪૦ દર્દીઓ સારવારમાં સાજા થયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૮ : ર૪ કલાકમાં કોરોનાના નવા ૪૦ પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાની સારવારમાં રહેલ અન્ય ૪૦ દર્દીઓ સાજા  થઇ જતા તેમને હોસ્પિટલમાથી રજા આપી દેવામાં આવી છે.

ગઇકાલે ૪૬૯ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૪૦ કેસનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના ટેસ્ટનો કુલ આંક ૧૩૬૦રર પહોંચ્યો છે. જયારે કોરોના પોઝીટીવ કેસની અત્યાર સુધીમાં કુલ સંખ્યા ૧૩૪૦ થઇ છે.

સરકારી હોસ્પિટલમાં કોરોનાના નવા ૪૦ પોઝીટીવ કેસ આવ્યા છે. જયારે ગાંધીનગર આરોગ્ય વિભાગની યાદી મુજબ ૪૭ કોરોના પોઝીટીવ કેસ દર્શાવે છે. ૪૦ નવા કોરોના પોઝીટીવ રાણાવાવ, કડીયા પ્લોટ, પેેરેડાઇઝ વિસ્તાર કમલાબાગ વાડી પ્લોટ વગેરે વિસ્તારમાંથી આવ્યા છે. જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧૬૪ વ્યકિતઓ સાજા થઇ ગયેલ છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ૪પ દર્દીઓ તેમજ કોવિડ હોસ્પિટલમાં ૧ર દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહેલ છે. હોમ આઇસોલેશનમાં ૧૧૧ વ્યકિતઓ રહેલ છે.

(1:15 pm IST)