Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પોરબંરદમાં પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે પુજન સાથે હનુમાન જયંતીની ઉજવણી

જુનાગઢ : પોરબંદર શ્રી સાંદીપની હરિમંદિર ખાતે ગઇકાલે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા હનુમાન જયંતીની સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવેલ જેનો સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકોએ ઘરે બેઠા દર્શનનો લાભ લીધો હતો. ઉપરોકત તસ્વીરમાં ષોડશોપચાર ુપજા ૧૦૮ પુષ્પ અને મોદક અર્પણ કરતા પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા નજરે પડે છે. આ પ્રસંગે પુ. ભાઇશ્રીએ હનુમાનદાદાને આ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી વહેલી તકે મુકિત થાય તેવી પ્રાર્થના કરી અને લોકોનું સ્વાસ્થય નિરામય રહે તેવી પ્રભુચરણામાં અરજ કરી હતી. (અહેવાલ : વિનુ જોશી તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:16 pm IST)