Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબી જય અંબે ગ્રુપ દ્વારા ગીરગઢડા અને રાજુલા પંથકમાં ૪૦ હજાર નળિયાની સહાય

મોરબી :વાવાઝોડાને પગલે ગીર સોમનાથ જીલ્લો અને અમરેલી જીલ્લો પ્રભાવિત થયો હોય ત્યારે મોરબીની અનેક સંસ્થાઓ સેવાકાર્યોમાં લાગેલી છે જેમાં મોરબી જય અંબે ગ્રુપના પ્રમુખ પણ પહોંચ્યા હતા જેઓએ ગીરગઢડા અને રાજુલા તાલુકામાં ૪૦ હજાર નળિયાની સહાય કરી હતી

  જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલાએ વાવાઝોડાગ્રસ્ત ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાની મુલાકાત લીધી હતી અને વાવાઝોડાથી બંને જીલ્લામાં ભારે નુકશાન થયું હોય જેથી ગીર સોમનાથ જીલ્લામાં ગીરગઢડા તાલુકામાં ૧૫,૦૦૦ નળિયા અને અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં ૨૫,૦૦૦ નળિયા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરી હતી

(7:56 pm IST)