Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબીના યુવા અગ્રણીએ ઉનામાં ૧૫૦૦ રાશન કીટ તેમજ ઉના-રાજુલામાં ૪૦ હજાર નળિયાની સહાય કરી

મોરબી :વાવાઝોડાને પગલે ગીર સોમનાથ જીલ્લામાં નુકશાની થવા પામી હોય જેથી મોરબીના સેવાભાવીઓ અને સેવાભાવી સંસ્થાઓ તમામ મદદ કરી રહી છે જેમાં મોરબીના યુવા અગ્રણી અજય લોરિયા દ્વારા ૧૫૦૦ રાશન કીટ ઉપરાંત ૪૦ હજાર નળિયાની સહાય કરવામાં આવી હતી
  વાવાઝોડાને પગલે ગીર સોમનાથ જીલ્લાના ઉના સહિતના વિસ્તારમાં નુકશાન થયું હોય જેથી મોરબી જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયાએ ઉનાના પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડની મુલાકાત લીધી હતી અને રાજુલા વિસ્તારમાં વધુ નુકશાન હોય જેથી ઉના નગરપાલિકા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૦૦ રાશન કીટ સહાય આપી હતી તે ઉપરાંત ઉના, રાજુલા અને સાવરકુંડલા પંથકમાં અજય લોરિયા દ્વારા ૪૦,૦૦૦ નળિયાની પણ સહાય કરવામાં આવી છે

(8:08 pm IST)