Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મોરબીમાં બૌદ્ધ વિહારમાં ૬૦ જેટલા લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી

અમદાવાદથી આવેલ ભંતે સારીપુત દ્વારા તમામ લોકોને દીક્ષા આપવામાં આવી .

મોરબીના રોહીદાસપરામાં બૌદ્ધ વિહારમાં આજે ૬૦ જેટલા લોકોએ હિંદુ ધર્મને છોઈને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી રોહીદાસપરા પાછળ આવેલ વિજયનગર સોસાયટીમાં સમ્રાટ અશોક બૌદ્ધ વિહારમાં ૬૦ જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડ્યો છે અને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી જે પ્રસંગે અમદાવાદથી આવેલ ભંતે સારીપુત દ્વારા તમામ લોકોને દીક્ષા આપવામાં આવી હતી

(11:57 pm IST)