Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જામનગરના આધ્‍યાત્‍મિક ગુરૂ સદગુરૂ જગ્‍ગી વાસુદેવને આવકારવા રાજવી શ્રી શત્રુશલ્‍યસિંહજી જાડેજા દ્વારા ઝળહળતી રોશનીથી સજ્જ કરાયેલા પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્‍ય નજારો

 

જામનગર : જામનગરમાં માજી રાજવી શ્રી શત્રુશલ્‍યસિંહજી જાડેજા (જામસાહેબ) દ્વારા ઈશા ફાઉન્‍ડેશન ના સ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરુ એવા સદગુરુ જગ્‍ગી વાસુદેવ ને આવકારવા માટે નો વિશેષ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે જામનગરની શાન સમા પ્રતાપ વિલાસ પેલેસ ને પણ ઝળહળતી રંગબીરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્‍યો છે. ઉપરોક્‍ત તસવીરમાં માજી રાજવી હિઝ હોલીનેઝ જામસાહેબ દ્વારા વિશેષ પ્રકારની લાઇટોની રોશની સાથે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસને શણગારવામાં આવ્‍યો છે. જેનો જાજરમાન અને ભવ્‍ય નજારો નિહાળી શકાય છે. પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્‍ય નજારો નિહાળીને અનેક શહેરીજનો આનંદિત થયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : જગત રાવલ)

(12:02 pm IST)