Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આટકોટ વડાપ્રધાનના કાર્યક્રમમાં જતી વખતે બનાવઃ વાહન અકસ્‍માતમાં વૃધ્‍ધાનું મોત

વૃધ્‍ધા વાંકાનેરના ઓળથી બસમાં બેસીને જતા હતાં: રસ્‍તામાં લઘુશંકા માટે ઉતર્યા ને અકસ્‍માત નડયોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: વાંકાનેરના ઓળ ગામે રહેતાં સોનાબેન મંગાભાઇ કુણપરા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા આજે આટકોટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી હોસ્‍પિટલનું ઉદ્દઘાટન કરવા આવ્‍યા હોઇ તે કાર્યક્રમમાં હાજરી આપવા બસ મારફત ગામના બીજા મહિલાઓ સાથે જઇ રહ્યા હતાં ત્‍યારે જસદણ-આટકોટ વચ્‍ચે બસમાંથી લઘુશંકા કરવા ઉતર્યા ત્‍યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

(4:23 pm IST)